Sunday, November 18, 2007

"નાની શી જ્યોત્"?

લાગતો હતો થાક સફરનો,
હતુ નહિ નામોનીશાન મંઝીલનુ
પણ વીત્યા દિવસો તનાવના,
વીતી રાત્રીઓ હતાશાની
જીંદગીએ કંઈક એવુ બતાવ્યું,
પ્રગટી અવિચળ જ્યોત્ ભીતર...

ના દુખ નડે એને ના સુખ અડકે,
ના પવન બુઝાવે ના વરસાદ
જોઇ અચરજ પામું નાની શી જ્યોત્...

પ્રેમ કરવો છે એને રોજ એટલો,
જણે કે હોય અમારી જીંદગીનો દીવસ છેલ્લો
પણ નથી મરી ફીટવું મહોબ્બતમાં
હતી જ્યોત એના પહેલા અને,
રહેશે પ્રગટેલી એના પછી
હાલતી-ડોલતી જણે કે મને રસ્તો ચીંધતી...

સુખમાં પગને રાખતી જમીન પર,
અને દુખમાં જગાવતી આશા
દીવસે મને પ્રેરશે એ જ્યોત,
જગાવશે નીંદરમા પણ ચેતના
છે અરજ જ્યોતના પ્રગટાવનાર ને,
લાવી મુકજે સુંદરસમાં ર્હદયની સામે
ઈધંણ પૂરે જે મારી જ્યોતના કોડીયામા...

-કુમારી અર્પિતા શાહ.
ટૉરન્ટો-કેનેડા.

મૂળ અમદાવાદ-ગુજરાતનાં.

1 comment:

Tarj said...

nice one...