Sunday, November 25, 2007

પાનખર આવે ને પાનખર જાય

પાનખર આવે ને પાનખર આવે ને પાનજખર જાય,
વસંત નું નીશાન મલતુ નથી,
વસંત આવે ને વસંત જાય,
વસંત માં પણ વસંત નું નીશાન મલતું નથી,

પાનખર ન ઝાડ ની બારસાખ પર નજર માંડતો ,
બારસાખ ને વીંટળાયેલ વેલ નું નીશાન મલતું નથી,

મનના અંધારા ખુણામાં બેઠેલા અશાંતિ ના નાગ ને,
નાથવા વાળા મદારી નું નીશાન મલતું નથી,

આકાશ માં મેઘ કેરી ઘનઘોર ઘટાઓ આવે ને જાય,
તરસ છીપાય એવી એક બુન્દ નું નીશાન મલતું નથી,

કોઁક્રીટ ના આ જંગલ માં , સસ્તા મકાનો તો ઘણા છે,
પણ ઘર નામ ની વસ્તુ નું નીશાન મલતું નથી,

સ્મશાન માં પડેલા મૃતદેહ ના હૈયા માં કદાચ ધબકાર મલશે,
જીવંતો ન હૈયા માં લાગણી નુ “માનવ” નીશાન મલતું નથી.

પરેશ ત્રીવેદી “માનવ.”

No comments: