Monday, November 30, 2009

માનવીના હૈયાને …

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી ? (૨)
માનવીના હૈયાને…

અધ બોલ્યા બોલડે,
થોડે અબોલડે, (૨)

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી? (૨) – માનવી૦

માનવીના હૈયાને….

સ્મિતની જ્યાં વીજળી,
જરી શી ફરી વળી, (૨)

એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?- માનવી૦

-ઉમાશંકર જોશી.

No comments: