Thursday, September 06, 2007

ગોકુલની ગલીઓ

ગોકુલની ગલીઓ માં શ્યામ થયો બહાવરો ,
રાધા વિના રહેવા નહીં એને મહાવરો,

ગોપ - ગોપી ને વિનવે ,
પશુ - પંખી ને વિનવે ,

કોઈક તો આપો મને રાધાનો અણસારો ,

મટકી નહી ફોડું, કહી ગ્વાલણને રીઝવે,
માખણ નહી ચોરું, કહી માં ને મનાવે,

બસ કોઈ આપો મને રાધાનો અણસારો ,

ગાયો ને મૂકી રેઢી,
વાંસળી ને મૂકી મેડી,

જમનાની રેતમાં રાધાના પગલાં શોધવા શ્યામ નિસર્યો,
આજ હવામાં પણ નથી રાધા તારા નામનો વર્તારો,

ન જાણ્યું શ્યામે , આજ વ્હાલી રાધા કેમ રિસાઈ ?
રાધાની રાહમાં, આજ શ્યામની આંખડી ભરાઈ.

જગ જાણે શ્યામ ના મોહમાં રાધા દિવાની ,
પણ આજે રાધાની રાહમાં શ્યામ દિવાનો.

નંદકુંવરે જાણ્યું કે રાધાનો પ્રેમ છે પૂરો,
પણ શ્યામ, તું જ છે રાધા વિના અધૂરો.....

-- શૈલ્ય

No comments: