Sunday, April 01, 2007

ગાઢ નીદ્રા માઁ પોઢેલા સમ્બન્ધો ને ફરી થી જગાડીએ,
ચાલ ને પાછી એકડે એક થી શરુઆત કરીએ,

ખબર ના રહી કેમ કરી સમ્બન્ધો પોઢી ગયા,
કે પછી જાણતા આઁખ આડા કાન થઈ ગયા?

જો જે જાગેલા સમ્બન્ધો ફરે થી નીદ્રધીન ના થઈ જાય,
એને જગાડતા જગાડતા પાછી રાત ના પડી જાય ,

અરે એમ બૂમો પાડવાથી ના જાગે ગાઢ નીદ્રાધીન સમ્બન્ધો,
હૂઁફ્ ના ચુલા પર શેકવા કરવા પડે એ સમ્બન્ધો,

ધીમી રાખજો આઁચ એ હૂઁફ ના ચુલા ની,
શેકતા બળી ના જાય કરજો કાળજી એની,

નહી તો મૃત્યુ શૈયા પર પોઢી જશે એ સમ્બન્ધો,
જાગશે નહી "માનવ" કદી એ પોઢી ગયેલા સમ્બન્ધો,

-પરેશ "માનવ"

(આ સ્વરચિત કવિતા મોકલવા બદલ મૂળ મુંબઈના અને હાલ મસ્કત-ઓમાનમાં રહી કામ કરતા શ્રી પરેશભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર).

No comments: